મુંબઇઃ મહારાષ્ટ્રમાં પેપર લીકને કારણે રવિવારના રોજ યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) રદ કરવામાં આવી છે. 27 જૂન, 2026 ના રોજ સવારે ભિવંડી પોલીસને માહિતી મળ્યાં બાદ દરોડા પાડ્યાં હતા, ભિવંડીમાં કેટલાક વ્યક્તિઓ પાસે પ્રશ્નપત્ર સંબંધિત માહિતી છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓને આ બાબતની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવ્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિઓ પાસે રહેલા કેટલાક પ્રશ્નો TET જૂન 2026 ના પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. પરિણામે, ભિવંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પરીક્ષા બોર્ડના ડેપ્યુટી કમિશનરે શું કહ્યું ?
પરીક્ષા બોર્ડના ડેપ્યુટી કમિશનર પ્રિયા શિંદેએ જણાવ્યું કે પરીક્ષા 28 જૂન, 2026 ના રોજ યોજાવાની હતી. થાણેમાં બનેલી ઘટનાને કારણે અમે તેને મુલતવી રાખી છે. આ પરીક્ષા માટે મહારાષ્ટ્રમાં કુલ 1,728 કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતા, રાજ્યભરમાંથી 600,125 વિદ્યાર્થીઓ તેમાં બેસવાના હતા.
પેપર લીક અંગે પૂછવામાં આવતા શિંદેએ કહ્યું, કોઈ ટિપ્પણી નહીં. તપાસ ચાલી રહી છે. અમે પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી છે અને સત્તાવાર સૂચના જારી કરી છે. આ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે કે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. તેમણે ફરીથી નોંધણી કરાવવાની પણ જરૂર નથી.
આ મામલો પ્રકાશમાં આવ્યાં બાદ વિપક્ષી રાજકીય પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) ના ભૂતપૂર્વ મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખે X પર લખ્યું કે NEET પેપર લીક થયા પછી, શિક્ષક પાત્રતા કસોટી (TET) જે ઉમેદવારોને શિક્ષક બનવા માટે લાયક બનાવે છે. પેપર હવે થાણેમાં લીક થઈ ગયું છે.
શાબાશ, ભાજપ સરકાર ! તમે પાર્ટીઓ, સાંસદો અને ધારાસભ્યોનો શિકાર કરો છો. પણ ઓછામાં ઓછું વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર તો બચાવો - તે ચોરશો નહીં !
ભિવંડીના ધારાસભ્ય રઈસ શેખે લખ્યું કે ગઈકાલે NEET, આજે TET. આગળ કઈ પરીક્ષા છે ? પેપર લીક હવે સંયોગ નથી, તે વહીવટી નિષ્ફળતાનો પુરાવો છે. લાખો વિદ્યાર્થીઓ સરકારની અસમર્થતાની કિંમત ચૂકવી રહ્યાં છે. શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
પરીક્ષા ક્યારે યોજાશે ?
આ મામલે પૂછપરછ માટે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. પેપર લીક બાદ, મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે રવિવારે યોજાનારી TET પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વિભાગ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.